Back to Languages

    Gujarati - Chapter 68

    Translation by Rabila Al Omari

    Verse 1

    નૂન, સોગંદ છે કલમના અને તેના, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે

    Verse 2

    તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી

    Verse 3

    અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે

    Verse 4

    અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો

    Verse 5

    બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે

    Verse 6

    કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે

    Verse 7

    નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે

    Verse 8

    બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો

    Verse 9

    તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય

    Verse 10

    અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે સોગંદ ખાવાવાળો

    Verse 11

    બેઆબરૂ, નીચ, મહેણાંટોણા મારનાર, ચાડી ખાનાર

    Verse 12

    ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી

    Verse 13

    અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે

    Verse 14

    તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે

    Verse 15

    જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે

    Verse 16

    અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું

    Verse 17

    નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું

    Verse 18

    અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા

    Verse 19

    બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા

    Verse 20

    બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક

    Verse 21

    હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા

    Verse 22

    કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો

    Verse 23

    ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા

    Verse 24

    કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે

    Verse 25

    અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે સમર્થ છીએ (ફળ તોડવા માટે)

    Verse 26

    જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા

    Verse 27

    ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ

    Verse 28

    તે લોકોમાં જે શ્રેષ્ઠ હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહ ની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા

    Verse 29

    તો બધા જ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક અમે જ અત્યાચારી હતા

    Verse 30

    ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા

    Verse 31

    કહેવા લાગ્યા ખૂબ અફસોસ ! ખરેખર અમે વિદ્રોહી હતા

    Verse 32

    ઉમ્મીદ છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ

    Verse 33

    આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરત (પરલોક) ની મુસીબત ઘણી જ મોટી છે. કદાચ તેઓ જાણતા હોત

    Verse 34

    ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે

    Verse 35

    શું અમે મુસલ્માનોને પાપીઓ જેવા કરી દઇશું

    Verse 36

    તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો

    Verse 37

    શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય

    Verse 38

    કે તેમાં તમારી મનચાહી વાતો હોય

    Verse 39

    અથવા તો તમે અમારાથી કેટલીક સોગંદો લીધી છે ? જે કયામત (પ્રલય) સૂધી રહે, કે તમારા માટે તે બધુ જ છે જે તમે પોતાની તરફથી નક્કી કરી લો

    Verse 40

    તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે

    Verse 41

    શું તેમના કોઇ ભાગીદાર છે ? તો પોત પોતાના ભાગીદારો લઇ આવે, અગર તેઓ સાચા છે

    Verse 42

    જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે

    Verse 43

    નજરો નીચી હશે અને તેમના પર કલંક છવાઇ રહ્યુ હશે. તેમ છંતા આ સિજદા માટે (તે વખતે પણ) બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા

    Verse 44

    બસ ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે

    Verse 45

    અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે

    Verse 46

    શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય

    Verse 47

    અથવા તો તેમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે, જેને તેઓ લખી રહ્યા હોય

    Verse 48

    બસ ! તમે પોતાના પાલનહારના આદેશની ધીરજ થી (રાહ જુઓ), અને માછલીવાળા (અર્થાત્ મૂરાદ એક પયગંબર છે જેમનું નામ યૂનુસ અ.સ. છે, તેઓ પોતાના લોકો પાસેથી અલ્લાહનો આદેશ આવ્યા પહેલા જ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓને તેમની ભુલનો પસતાવો થયો. પસતાવો થંતા જ તેમણે પોતે સમુદ્રમાં છલાંગ લગાવી અને ત્યાં તેઓને એક માછલીએ લગભગ દિવસ સુધી પોતાના પેટમાં રાખેલા) જેવા ન થઇ જાવ, જ્યારે કે તેણે શોકાતુર થઇ દુઆ કરી

    Verse 49

    અગર તેને તેના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવત

    Verse 50

    તેને તેના પાલનહારે ફરી પસંદ કરી લીધો અને તેને સદાચારી લોકોમાંસામેલ કરી દીધો

    Verse 51

    અને નજીક છે કે ઇન્કારીઓ પોતાની ધારદાર નજરથી તમને લપસાવી દે, જ્યારે પણ કુરઆન સાંભળે છે તો કહી દે છે, આ તો પાગલ જ છે

    Verse 52

    ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ જ છે