Back to Languages

    Gujarati - Chapter 74

    Translation by Rabila Al Omari

    Verse 1

    હે ચાદર ઓઢનાર

    Verse 2

    રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું

    Verse 3

    અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો

    Verse 4

    અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર

    Verse 5

    નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું

    Verse 6

    નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે

    Verse 7

    હકીકતમાં તમને દિવસભર ઘણી જ વ્યસ્તતા હોય છે

    Verse 8

    તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ કરતા રહો અને દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો

    Verse 9

    પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો

    Verse 10

    અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ

    Verse 11

    મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો

    Verse 12

    નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે

    Verse 13

    અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે

    Verse 14

    જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે

    Verse 15

    નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા

    Verse 16

    તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા

    Verse 17

    જો તમે ઇન્કારી રહ્યા, તો તે દિવસે કેવી રીતે શરણ પામશો જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેવામાં આવશે

    Verse 18

    જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે

    Verse 19

    નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં

    Verse 20

    તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે

    Verse 21

    તેણે ફરી જોયુ

    Verse 22

    પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ

    Verse 23

    પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ

    Verse 24

    અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે

    Verse 25

    માનવીના કથન સિવાય કશું જ નથી

    Verse 26

    હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ

    Verse 27

    અને તને શું ખબર કે જહન્નમ શું છે

    Verse 28

    ન તે બાકી રાખે છે ન છોડે છે

    Verse 29

    ચામડીને બાળી નાખે છે

    Verse 30

    અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે

    Verse 31

    અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે

    Verse 32

    સાચું કહું છું સોગંદ છે ચંદ્રના

    Verse 33

    અને રાત્રિના જ્યારે તે પાછી ફરે

    Verse 34

    અને સવારના જ્યારે તે પ્રકાશિત થઇ જાય

    Verse 35

    કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે

    Verse 36

    આદમની સંતાનને ચેતવણી આપનારી

    Verse 37

    (એટલે) તેને જે તમારાથી આગળ વધવા માગે અથવા પાછા હટવા માંગે

    Verse 38

    દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગીરો છે

    Verse 39

    પરંતુ જમણા હાથવાળા

    Verse 40

    કે તેઓ જન્નતોમાં (બેઠેલા) દુરાચારીઓથી

    Verse 41

    પ્રશ્ર્ન કરતા હશે

    Verse 42

    તમને જહન્નમમાં કઇ વસ્તુએ નાખ્યા

    Verse 43

    તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા

    Verse 44

    ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા

    Verse 45

    અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં

    Verse 46

    અને બદલાના દિવસને જૂઠલાવતા હતા

    Verse 47

    અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા

    Verse 48

    બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે

    Verse 49

    તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે

    Verse 50

    જાણે કે તેઓ ભડકી ગયેલા ગધેડા છે

    Verse 51

    જે સિંહથી ડરીને ભાગ્યા હોય

    Verse 52

    પરંતુ તેમાથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને ખુલ્લી કિતાબો આપવામાં આવે

    Verse 53

    કદાપી એવું નથી (હોઇ શકતું પરંતુ) આ લોકો કયામતથી નીડર છે

    Verse 54

    સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે

    Verse 55

    હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે

    Verse 56

    અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં