Back to Languages
Gujarati - Chapter 74
Translation by Rabila Al Omari
Verse 1
હે ચાદર ઓઢનાર
Verse 2
રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું
Verse 3
અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો
Verse 4
અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર
Verse 5
નિ:શંક અમે તમારા પર ખુબ જ ભારે વાત નજીકમાં જ ઉતારીશું
Verse 6
નિ:શંક રાતમાં ઉઠવું મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને વાતને યોગ્ય કરી દેવાનું કારણ છે
Verse 7
હકીકતમાં તમને દિવસભર ઘણી જ વ્યસ્તતા હોય છે
Verse 8
તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ કરતા રહો અને દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો
Verse 9
પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો
Verse 10
અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ
Verse 11
મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો
Verse 12
નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે
Verse 13
અને ગળામાં ફસાઇ જનાર ખોરાક છે અને દુ:ખદાયી યાતના છે
Verse 14
જે દિવસે ધરતી અને પર્વતો ધ્રૂજી ઉઠશે અને પર્વતો વિખેરાયેલી રેતી જેવા બની જશે
Verse 15
નિ:શંક અમે તમારી તરફ પણ તમારા પર સાક્ષી આપનાર પયગંબર મોકલી દીધા છે. જેવું કે અમે ફિરઔન તરફ પયગંબર મોકલ્યા હતા
Verse 16
તો ફિરઔનને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધા
Verse 17
જો તમે ઇન્કારી રહ્યા, તો તે દિવસે કેવી રીતે શરણ પામશો જે દિવસ બાળકોને વૃધ્ધ કરી દેવામાં આવશે
Verse 18
જે દિવસે આકાશ ફાટી પડશે, અલ્લાહ તઆલાનું આ વચન થઇને જ રહશે
Verse 19
નિ:શંક આ શિખામણ છે, બસ ! જે ઇચ્છે તે પોતાના પાલનહાર તરફ જતો માર્ગ અપનાવી લેં
Verse 20
તમારો પાલનહાર સારી રીતે જાણે છે કે તમે અને તમારા સાથેનું એક જૂથ લગભગ બે-તૃતિયાંશ રાત અને અડધી રાત અથવા એક- તૃતિયાંશ રાતમાં તહજ્જુદ (મોડી રાત્રે પઢવામાં આવતી નમાઝ) પઢે છે. અને રાત દિવસનો હિસાબ અલ્લાહ તઆલા પાસે જ છે, તે (ખૂબ) જ જાણે છે કે તમે તેને કદાપી પાળી નહી શકો બસ ! તેણે તમારા પર કૃપા કરી, જેથી જેટલું કુરઆન પઢવું તમારા માટે સરળ હોય તેટલું જ પઢો. તે જાણે છે કે તમારામાંથી કેટલાક બિમાર પણ હશે, કેટલાક બીજા ધરતી પર હરી-ફરીને અલ્લાહ તઆલાની કૃપા (એટલે કે રોજી) પણ શોધશે અને કેટલાક લોકો અલ્લાહ તઆલાના રસ્તામાં જિહાદ (ધાર્મિક યુધ્ધ) પણ કરશે, તો તમે જેટલું કુરઆન સરળતાથી પઢી શકો પઢો અને નમાઝ પાબંદીથી પઢતા રહો અને ઝકાત (ધર્મદાન) આપતા રહો અને અલ્લાહ તઆલાને સારૂ ઋણ આપો અને જે સદકાર્ય તમે તમારા માટે આગળ મોકલશો તેને અલ્લાહ તઆલાને ત્યાં અતિઉત્તમ અને બદલામાં ખુબજ વધારે પામશો, અલ્લાહ તઆલા પાસે ક્ષમા માંગતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા ક્ષમા કરનાર કૃપાવાળો છે
Verse 21
તેણે ફરી જોયુ
Verse 22
પછી ભંવા ચઢાવ્યા અને મોઢું બગાડ્યુ
Verse 23
પછી પૂંઠ ફેરવી અને ઘમંડ કર્યુ
Verse 24
અને કહેવા લાગ્યો કે આ તો ફકત જાદુ છે જે નકલ કરવામાં આવે છે
Verse 25
માનવીના કથન સિવાય કશું જ નથી
Verse 26
હું નજીકમાં તેને જહન્નમમાં નાખીશ
Verse 27
અને તને શું ખબર કે જહન્નમ શું છે
Verse 28
ન તે બાકી રાખે છે ન છોડે છે
Verse 29
ચામડીને બાળી નાખે છે
Verse 30
અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે
Verse 31
અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે
Verse 32
સાચું કહું છું સોગંદ છે ચંદ્રના
Verse 33
અને રાત્રિના જ્યારે તે પાછી ફરે
Verse 34
અને સવારના જ્યારે તે પ્રકાશિત થઇ જાય
Verse 35
કે (નિ:શંક તે જહન્નમ) મોટી વસ્તુઓમાંથી એક છે
Verse 36
આદમની સંતાનને ચેતવણી આપનારી
Verse 37
(એટલે) તેને જે તમારાથી આગળ વધવા માગે અથવા પાછા હટવા માંગે
Verse 38
દરેક વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં ગીરો છે
Verse 39
પરંતુ જમણા હાથવાળા
Verse 40
કે તેઓ જન્નતોમાં (બેઠેલા) દુરાચારીઓથી
Verse 41
પ્રશ્ર્ન કરતા હશે
Verse 42
તમને જહન્નમમાં કઇ વસ્તુએ નાખ્યા
Verse 43
તેઓ જવાબ આપશે કે અમે નમાઝ નહતા પઢતા
Verse 44
ન તો લાચારોને ખાવાનુ ખવડાવતા હતા
Verse 45
અને અમે વાદવિવાદ કરનાર (ઇન્કારીઓ) ને સાથ આપી વાદવિવાદમાં વ્યસ્ત રહેતા હતાં
Verse 46
અને બદલાના દિવસને જૂઠલાવતા હતા
Verse 47
અહીં સુધી કે અમે મૃત્યુ સુધી પહોંચી ગયા
Verse 48
બસ ! તેમને ભલામણ કરનારાઓની ભલામણ ફાયદો નહીં પહોંચાડે
Verse 49
તેમને શું થઇ ગયું છે ? કે શિખામણથી મોઢું ફેરવી રહ્યા છે
Verse 50
જાણે કે તેઓ ભડકી ગયેલા ગધેડા છે
Verse 51
જે સિંહથી ડરીને ભાગ્યા હોય
Verse 52
પરંતુ તેમાથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને ખુલ્લી કિતાબો આપવામાં આવે
Verse 53
કદાપી એવું નથી (હોઇ શકતું પરંતુ) આ લોકો કયામતથી નીડર છે
Verse 54
સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે
Verse 55
હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે
Verse 56
અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં