Back to Languages
Gujarati - Chapter 77
Translation by Rabila Al Omari
Verse 1
દિલ ખૂશ કરી નાખનારી હવાઓના સોગંદ
Verse 2
પછી તીવ્ર હવાઓના સોગંદ
Verse 3
પછી ઉકસાવીને વેરવિખેર કરનારના સોગંદ
Verse 4
પછી સત્ય અને અસત્ય ને જૂદા કરી નાખનાર
Verse 5
અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ
Verse 6
જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે
Verse 7
જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે
Verse 8
બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે
Verse 9
અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે
Verse 10
અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે
Verse 11
અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે
Verse 12
કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે
Verse 13
નિર્ણયના દિવસ માટે
Verse 14
અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે
Verse 15
તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે
Verse 16
શું અમે પૂર્વજોને વિનાશ નથી કર્યા
Verse 17
ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા
Verse 18
અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ
Verse 19
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
Verse 20
શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા
Verse 21
પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો
Verse 22
એક નક્કી કરેલ સમય સુધી
Verse 23
પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે
Verse 24
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
Verse 25
શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી
Verse 26
જીવિત લોકોને પણ અને મૃતકોને પણ
Verse 27
અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું
Verse 28
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
Verse 29
તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા
Verse 30
ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ
Verse 31
જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે
Verse 32
નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે
Verse 33
જાણે કે તે પીળા ઊંટો છે
Verse 34
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
Verse 35
આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે
Verse 36
ન તેમને તક આપવામાં આવશે
Verse 37
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
Verse 38
આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે
Verse 39
બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં
Verse 40
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
Verse 41
નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે
Verse 42
અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે
Verse 43
(જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં
Verse 44
નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
Verse 45
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
Verse 46
(હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો
Verse 47
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
Verse 48
તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા
Verse 49
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
Verse 50
હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો